રાજકારણ

ચૂંટણી પછી ભાજપ પેટ્રોલ અને ડીઝલ મોંઘું કરશે. અખિલેશ યાદવ

અખિલેશ યાદવે ભાજપ પર ડીઝલ-પેટ્રોલના ભાવમાં બેફામ વધારો કરવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે, ચૂંટણી પૂરી થતાં જ ભાજપ ડીઝલ-પેટ્રોલને મોંઘું કરી દેશે. બહરાઈચ જિલ્લાના પાયગપુર વિધાનસભા મતવિસ્તારના પટોરા મોર ખાતે સપાના ઉમેદવાર મુકેશ શ્રીવાસ્તવના સમર્થનમાં આયોજિત એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે, સપાના વડાએ ભાજપ પર જાેરદાર પ્રહારો કર્યા હતા.
અખિલેશ યાદવે કહ્યું કે, “જ્યારે આ બીજેપી લોકો સરકારમાં આવ્યા ત્યારે તેમણે ડીઝલ અને પેટ્રોલ એટલું મોંઘું કરી દીધું કે આપણા ગરીબ ભાઈઓની ગાડી પણ ચાલી શકતી નથી, ખેડૂતોનું ટ્રેક્ટર પણ ચાલી શકતું નથી. યાદ રાખજાે ચૂંટણી પૂરી થતાં જ ભાજપનું પેટ્રોલ પણ ‘૨૦૦ રૂપિયા લીટર’ થઈ જશે.ભાજપના લોકોના નિવેદનો અને વર્તન પરથી લાગે છે કેદ્બ તેઓ હિંસા પર ઉતરી આવ્યા છે. હારનો ડર અને તેમનું વર્તન હવે કુસ્તીમાં હારેલા કુસ્તીબાજ જેવું થઈ ગયું છે.
સપા પ્રમુખે મુખ્યમંત્રી યોગીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અખિલેશ ૧૨ વાગે જાગે છે” મુખ્યમંત્રીના ચહેરા પર હારનો ડર વાગવા લાગ્યો છે. ગાય માતા ભૂખી છે અને તેનો જીવ જઈ રહ્યો છે, તેની સંભાળ રાખનાર કોઈ નથી. અમારી સરકાર આવશે તો ગાયોના રક્ષણ માટે વધુ સારી વ્યવસ્થા કરીશું. સપાની સરકાર બનશે તો રોજગાર સંકટ ખતમ થઈ જશે. યાદવે કોરોનાની દુર્દશાનો ઉલ્લેખ કર્યો અને યાદ અપાવ્યું કે સરકારે કોરોના સમયગાળા દરમિયાન લોકોને અનાથ છોડી દીધા હતા. તેમણે દાવો કર્યો હતો કે ચાર તબક્કામાં અમે બેઠકોની બેવડી સદી ફટકારી છે અને પાંચમા તબક્કામાં ભાજપનો સફાયો થઈ જશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button