રાજકારણ

અમે માયાવતીને સંદેશો મોકલ્યો કે ગઠબંધન કરો, તેમણે વાત પણ નથી કરીઃ રાહુલ ગાંધી

દેશના પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ યુપીમાં કોંગ્રેસને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામો બાદ હવે રાહુલ ગાંધીએ બસપા સુપ્રીમો માયાવતીને લઈને મોટો ખુલાસો કર્યો છે. દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે માયાવતીને ગઠબંધન માટે પૂછ્યું હતું, પરંતુ તેમણે જવાબ પણ આપ્યો ન હતો.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન દરમિયાન મંચ પર કહ્યું, “માયાવતીએ ચૂંટણી પણ લડી ન હતી. અમે માયાવતીને સંદેશો આપ્યો હતો કે ગઠબંધન કરો અને મુખ્યમંત્રી બનો. તેમણે વાત પણ કરી ન હતી. જેમણે પોતાનું લોહી આપ્યું.” ઉત્તર પ્રદેશમાં દલિતોનો અવાજ પરસેવો પાડીને જગાડ્યો. આજે માયાવતી કહે છે કે હું એ અવાજ માટે લડીશ નહીં.

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માયાવતીની પાર્ટી બસપા સાથે ગઠબંધન કરવા માંગતી હતી, માયાવતીને પણ સીએમ પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. પોતાના નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કાશીરામજીએ યુપીમાં દલિતોનો અવાજ ઉઠાવ્યો, જાેકે તેની અસર કોંગ્રેસ પર પડી. આ વખતે માયાવતીએ દલિતોના અવાજ માટે લડત આપી નથી કારણ કે સીબીઆઈ, ઈડી અને પેગાસસ છે.

આ સિવાય કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે બંધારણની રક્ષા કરવી છે. બંધારણને બચાવવા માટે આપણે આપણી સંસ્થાઓની રક્ષા કરવી પડશે. પરંતુ તમામ સંસ્થાઓ આરએસએસના હાથમાં છે. તેમણે વધુમાં કહ્યું કે એવા રાજકારણીઓ છે જેઓ સત્તાની શોધમાં છે. તેઓ હંમેશા સત્તા મેળવવાનું વિચારે છે. હું સત્તાના કેન્દ્રમાં જન્મ્યો હતો, પરંતુ પ્રમાણિકતાથી મને તેમાં રસ નથી. તેના બદલે હું દેશને સમજવાનો પ્રયત્ન કરું છું.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button