Uncategorized

મહેસાણા-બનાસકાંઠાના ૧૩૦ જેટલા ગામમાં પાણી નહીં તો વોટ નહીંના લાગ્યા પોસ્ટર

ગુજરાતમાં એપ્રિલ મહિના સુધી માત્ર પાણીની પોકાર ઉઠી હતી, પરંતુ હવે મે મહિનો આકરો બની રહ્યો છે. ત્યારે હવે પાણી માટે રણસંગ્રામ થઈ રહ્યો છે. પાણી માટે હવે લોકો અને ખેડૂતો રસ્તા પર ઉતરી રહ્યાં છે. પાણી માટે અંદાલનના માર્ગે વળ્યાં છે. મહેસાણા અને બનાસકાંઠામાં ૧૩૦ થી વધુ ગામોએ પાણી માટે આક્રમક બન્યા છે. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ ગામોમાંથી ‘પાણી નહિ તો મત નહિ….’ તેવા સૂર ઉઠ્‌યા છે. ખેરાલુમાં ૩૦ થી વધુ ગામોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. તો બનાસકાંઠામાં ૧૦૦ જેટલા ગામડાઓમાં ‘પાણી નહીં તો વોટ નહિ’ ના પોસ્ટર લાગ્યા છે.

મહેસાણાના ખેરાલુ તાલુકાના પાણી મુદ્દે જાણે કે આંદોલન છેડાઈ ગયું છે. ખેરાલુ તાલુકાના ૩૦ જેટલા ગ્રામજનોએ ર્નિણય લીધો છે કે પાણી નહી તો મત નહી. ૩૦ ગામના ગ્રામજનો ખેરાલુ તાલુકાના મન્દ્રોપુર ગામે એકઠા થયા હતા અને આ વિસ્તારમાં પાણીના વિકટ પ્રશ્નને લઈને ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે ૨૦ ગામના લોકોએ ર્નિણય લીધો હતો કે, હવે પાણી નહી તો મત નહિ. એટલે કે આગામી દરેક ચુંટણીનો આ વિસ્તારના ગ્રામજનો બહિષ્કાર કરશે.

મન્દ્રોપુર ગામમાં આસપાસના ૩૦ ગામમાંના લોકો પાણી મુદ્દે એકઠા થયા હતા. ખેરાલુ તાલુકાના ૩૦ ગામના લોકોએ એકઠા મળીને વિરોધ દર્શાવ્યો હતો. ૩૦ ગામના લોકોએ ચુંટણી બહિષ્કારની ચીમકી આપી છે. સિંચાઈ માટે ‘પાણી નહીં તો મત નહિ’ના ગામેગામ બોર્ડ લગાવવામાં આવશે. અત્યાર સુધીમાં ૪ ગામના લોકો બોર્ડ લગાવી ચુક્યા છે. સાથે જ ગ્રામજનો રાજકીય નેતાઓથી પણ રોષે ભરાયાં હતાં. કારણ કે, વર્ષોથી અહી મત માંગવા આવતા રાજકીય નેતાઓ પાણી આપવાના વચન આપીને મત લઈ જાય છે. અને પાણી મળતું નથી. આ વિસ્તારમાં સિંચાઇના પાણીની વિકટ સમસ્યા વર્ષોથી છે. અહી આવેલું ચીમનાબાઈ સરોવર ભરવા માંગ વર્ષોથી કરવામાં આવી છે. અને આ મુદ્દે જ નેતાઓ મત માટે વચન આપી જાય છે અને બાદમાં ફરકતા પણ નથી. જેથી ચુંટણી બહિષ્કારનો ર્નિણય આ વિસ્તારના ગામના લોકોએ લીધો છે.

બીજી તરફ, પાણી આંદોલન મહેસાણા બાદ બનાસકાંઠામાં પણ જાેવા મળ્યું. બનાસકાંઠાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી મુદ્દે પાંચ તાલુકાના ખેડૂતો આંદોલનના માર્ગે નીકળ્યા છે. ૧૦૦ જેટલા ગામડાઓમાં ‘પાણી નહીં તો વોટ નહિ’ ના પોસ્ટર લાગ્યા છે. દરેક ગામડામાં ઢોલ વગાડી ખેડુતોને જાગૃત કરી પોસ્ટર અને બેનર લગાવાાઈ રહ્યાં છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણીની માંગ સાથે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યાં છે. દિયોદરના ઝાલમોર ખાતે આજે ૧ વાગે ખેડૂતોની પાણી મુદ્દે મોટી મીટીંગ મળશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button