ક્રાઇમ

પ્રેમ લગ્ન બાદ પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા બાળકો સામે જ કરી નાંખી પત્નીની ઘાતકી હત્યા

શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ ૭ વર્ષથી અલગ રહેતી પત્નીની બાળકોની સામે ૨૩ ફેબ્રુઆરીના રોજ હત્યા કરનાર પતિની ધરપકડની ધરપકડ કરવામાં આવી છે. પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા કરી પતિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતેના ઝઘડામાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પત્નીને ત્રણ ગોળી મારીને હત્યા કરી હતી. યુવાનની કતારગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. ફાયરીંગ કરનાર પતિની બિહારમાં પોલીસે દારૂના ગુનામાં ધરપકડ કરી હતી. આરોપીએ પત્નીની હત્યા કર્યાની પણ કબૂલાત કરી હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં અલગ રહેતી ૩૦ વર્ષની પત્ની ટીના પર પતિ અખીલેશકુમાર મૌલેશ્વરપ્રસાદ સીંગે બાળકોની સામે જ ત્રણ ગોળી મારી દીધી હતી. ટીનાને છાતી, પેટ, કોણી અને ઘૂંટણમાં ઇજા થઈ હતી. આ દંપતીએ ૧૬ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા જે બાદ સાત વર્ષથી પતિથી અલગ રહેતી ટીનાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે ટીના સાથે અવારનવાર ફોન પર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો અખીલેશ ફાયરીંગ કરી ફરાર થઈ ગયો હતો. કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ૨૧ દિવસની સારવાર બાદ તેનું મોત થતાં પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ઘટનાના ત્રણ અઠવાડીયા બાદ ગત ૧૭ માર્ચના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અખીલેશની ધરપકડ માટે તજવીજ કરી રહેલી કતારગામ પોલીસ તેના મોતના અઠવાડીયા અગાઉ તેને શોધવા બિહાર ગઈ હતી ત્યારે, સ્થાનિક પોલીસે તેની દારૂના ગુનામાં ધરપકડ કરી હતી.

ટીનાના મોતને પગલે કતારગામ પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી હાલ વેલ્ડીંગનો વ્યવસાય કરતા અખીલેશકુમાર મોલેશ્વરી સિંગનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજાે મેળવવા તજવીજ કર્યા બાદ ધરપકડ કરી હતી. તો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button