મનોરંજન

મોટી રકમ મળશે તો જ હેરાફેરીની સિક્વલ ફિલ્મ કરીશઃ પરેશ રાવલ

હાલમાં જ ઓટીટી પર ઋષિ કપૂર અભિનીત છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનમાં ઋષિ કપૂરની ભૂમિકા ભજવનાર અભિનેતા પરેશ રાવલ આ દિવસોમાં પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, ઇ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં, પ્રિયદર્શન નિર્દેશિત ફિલ્મ હેરા ફેરીના ત્રીજા ભાગ વિશે વાત કરતી વખતે, તેણે કહ્યું કે સાચું કહું તો, હવે મને આ પાત્ર વિશે કોઈ ઉત્સાહ નથી.

જાે હું ફરી એ જ ધોતી પહેરીને, ચશ્મા પહેરીને ચાલીશ, તો હું તેના માટે તગડી રકમ લઈશ. મને પૈસા સિવાય તે કરવામાં આનંદ ન આવે. સ્વાભાવિક છે કે, જાે આપણે હેરાફેરીની સિક્વલ સાથે પુનરાગમન કરીએ તો તેની વાર્તા પણ સારી હોવી જાેઈએ. જૂના ઘસાઈ ગયેલા જાેક્સ કામ નહીં કરે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button