કોરોના કહેર : દુનિયામાં હવે મૃત્યુઆંક ૮૮ હજારથી ઉપર , કેસોની સંખ્યા તો ૧૫ લાખથી પણ ઉપર પહોંચી
કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે યુદ્ધના ધોરણે તમામ દેશો પગલા લઇ રહ્યા છે છતાં તેની સામે દુનિયાના તમામ દેશો કમ સે કમ હાલમાં તો નિસહાય બનેલા છે. કોરોના વાયરસના કારણે હજુ સુધી ૮૮ હજારથી વધારે લોકોના તો મોત થઇ ચુક્યા છે અને ૪૮ હજારથી વધારે લોકો જીવનમરણ વચ્ચે ઝોળા ખાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં મોતનો આંકડો કેટલો પહોંચી શકે છે તેનો અંદાજ લગાવી શકાય છે. વિશ્વમાં કુલ રિક્વર થયેલા લોકોની સંખ્યા ૩૩૦૫૮૯ સુધી પહોંચી ગઇ છે. સ્થિતિ કેટલાક દેશોમાં તો હજુ બેકાબુ બનેલી છે. જેમાં સ્પેન, અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. કોરોના કહેર હજુ જારી રહી શકે છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતિમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતિ વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતિ હળવી કરવામાં આવી રહી છે. યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. સ્પેનમાં હવે ચીન કરતા વધારે કેસો થઇ ચુક્યા છે. આવી સ્થિતિમાં લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઇટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે.વિશ્વના તમામ દેશોમાં દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. દુનિયાના દેશો તેની સામે લડી રહ્યા છે પરંતુ કોરોનાના કારણે કેસો અને મોતના આંકડા પર અંકુશ મુકવામાં સફળતા મળી રહી નથી. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. કોરોના વાયરસનો આ આંકડો દરિયામાં પાણીની એક બુંદ સમાન છે. કારણ કે વાયરસના કારણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વિશ્વમાં ખુબ વધારે છે. રિકવર પણ મોટી સંખ્યામાં લોકો થઇ રહ્યા છે. જા કે Âસ્થતીને સામાન્ય બનાવી દેવા માટેના પ્રયાસો યુદ્ધના સ્તર પર તમામ દેશો કરી રહ્યા હોવા છતાં સ્થિતિ સુધારો થઇ રહ્યો નથી. સ્પેન, અમેરિકા, ઇટાલી સહિતના દેશો વધારે અસરગ્રસ્ત થયા છે. તેમના પગલા પણ હવે અપુરતા સાબિત થઇ રહ્યા છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA