ગુજરાતદેશ દુનિયા

બળાત્કાર અને હત્યા નો ભેદ જવાહરનગર પોલીસે ગણતરી ના કલાકો માં ઉકેલી આરોપી ની ધરપકડ કરી!

બળાત્કાર અને હત્યા નો ભેદ જવાહરનગર પોલીસે ગણતરી ના કલાકો માં ઉકેલી આરોપી ની ધરપકડ કરી!

અનગઢ ના વખતપુરા ઢીંગાવાળા વિસ્તાર ની 54 વર્ષીય ચંચળબેન ચંદુભાઈ ગોહિલ આજે સવારે ભેંસો ચરાવવા
મીની નદી ના કોતર વિસ્તાર માં ગયેલ, આશરે 11 વાગ્યા ની આસપાસ ભેંસો એકલી ઘરે પાછી આવતાઝ ચંચળ બેન ની દીકરી શકું પોતાની માતા ને શોધવા મીની નદી કોતર વિસ્તાર માં ગયેલ , દીકરી શકું ને પોતાની માતા ચંચડબેન લોહી થી લથપથ નિવસ્ત્ર હાલત માં કોતર ની ઝાડીઓ માંથી મળી આવેલ, દીકરી શકું ના કહેવા પ્રમાણે શકું એ માતા ને જોઈ ત્યારે ચંચળબેન જીવિત હતા અને ચંચડબેન ને આખો અને ગળા ના ભાગે ગંભીર ઇજાઓ પોહચેલી હતી, શકું એ પરિવારજનો ને બુમો પાળી બોલાવ્યા હતા, પંરતુ પરિવાર જાણો આવ્યા ત્યાં સુધી ચંચળબેન નું મોત નીપજ્યું હતું, ઘટના ની જાણ સ્થાનિકો ને થતા સ્થાનિકો ના ટોળા ઘટના સ્થળે પોહચી ગયા હતા, હત્યા ની ઘટના ની જાણ પોલીસ ને તથા ઘટના સ્થળે જવાહરનગર પોલીસ અને નંદેસરી પોલીસ પોહચી ગઈ હતી, જોકે હત્યા જ્યાં થઈ હતી એ વિસ્તાર જવાહરનગર પોલીસ સ્ટેશન માં આવતો હોવાથી જવાહરનગર પોલીસે લાશ નો કબજો લીધો હતો, હત્યા ને જોઈને એવું લાગી રહયુ હતું કે ચંચળ બેન ઉપર આરોપીએ બળાત્કાર કરી ને હત્યા કરી હતી, ઘટના સ્થળે થી આરોપી નો મોબાઈલ ફોન અને એક ચકકુ મળી આવેલ હતું, હત્યા અને બળાત્કાર ની ઘટના ની જાણ થતાની સાથે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પોહચ્યા હતા, જવાહરનગર પોલીસે ઘટના સ્થળે થી મળેલ મોબાઈલ ના આધારે આરોપી ને ગણતરી ના કલાક માં ઝડપી પાડ્યો હતો, આરોપીએ બળાત્કાર અને હત્યા નો ગુનો કબુલ્યો હતો, આરોપી નામે છૂટકું દીનદયાળ યાદવ જે વખતપુરા નવા બની રહેલા એક્સપ્રેસ રોડ માં કામ કરતો હતો, આરોપી મૂળ બિહાર નો વતની છે, આરોપી છેલ્લા 6 મહીનાથી L&T કંપની ના કોન્ટ્રક હેઠળ જે નવો વડોદરા મુંબઇ રોડ બની રહ્યો છે તેમાં કામ કરતો હતો, આરોપી પકડાયા ની જાણ થતાં ની સાથેજ રોષે ભરાયેલ સ્થાનિકો અને પરિવારજનો આરોપી ને મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થાનિક આગેવાન મહેશ સુકાભાઈ અને અનગઢ ના સરપંચ રાજુભાઇ ગોહિલ સાથે જવાહરનગર પોલીસ અને નંદેસરી પોલીસે સાથે મળીને સ્થાનિકો અને પરિવારજનો ને સમજાવી ને પાછા મોકલ્યા હતા, વધુ ના પ્રાપ્ત વિગત અનુસાર આ આરોપી બિહાર માં પણ ગુનાખોરી ની સજા ભોગવેલ છે , જવાહરનગર પોલીસે ચંચળબેન ના મૃતદેહ ને પોસ્ટમોર્ટન માટે સરકારી હોસ્પિટલ મોકલી આરોપી વિરુદ્ધ હત્યા અને બળાત્કાર નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી!

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button