ગુજરાતમાં અનલોક-૩માં પહેલી ઓગસ્ટથી રાત્રિ કફ્ર્યુમાંથી મુકિત, દુકાનો ૮ વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે : હોટલ-રેસ્ટોરન્ટ\ ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે : શાળા અને કોલેજાે ૩૧મી ઓગસ્ટ સુધી બંધ રહેશે
ગુજરાતમાં અનલોક-૩માં પહેલી ઓગસ્ટથી રાત્રિ કફ્ર્યુમાંથી મુકિત, દુકાનો ૮ વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે : હોટલ-રેસ્ટોરન્ટ ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે : શાળા અને કોલેજાે ૩૧મી ઓગસ્ટ સુધી બંધ રહેશે
મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર રાજ્યમાં અનલોક-૩ અંતર્ગત કેટલીક છૂટછાટોના મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે.દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી-હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે-૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.જિમ-યોગા સેન્ટર તા. પ મી ઓગસ્ટથી ખૂલશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલાૅક-૩ સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે.આ બેઠકમાં લેવાયેલા ર્નિણયો અનુસાર મુખ્યમંત્રીીએ રાજ્યમાં ૧ ઓગસ્ટથી રાત્રી કરફયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે.રાજ્યમાં દુકાનો ૮ વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમ પણ તેમણે જાહેર કર્યુ છે.કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર ૫મી ઓગસ્ટથી ખોલી શકાશે.આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં મંત્રી કૌશિક પટેલ, મંત્રી સૌરભ પટેલ, રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ વગેરે જોડાયા હતા.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/