એપેડેમિક ભંગ કરવા બદલ PI સહિત ૫ સામે ફરિયાદ , સોલા પોલીસે દારૂના આરોપીને ઢોર માર મારી દોરડેથી બાંધી ચાંદલોડિયા વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું
કોરોનાના કેસો સતત વધતા જાય છે. રાજ્યમાં એપેડેમીક કાયદો અમલમાં છે તેવી સમયે ખુદ પોલીસ દારૂના કેસના આરોપીને દોરડે બાંધી ચાંદલોડિયા વિસ્તારમાં સરઘાસ કાઢી ફેરવવા બદલ સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સહિત પાંચ જણા સામે એપેડેમીક એકટ હેઠળ અમદાવાદ રૂરલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ખુદ પોલીસે બેજવાબદાર બનીને એપેડેમીક કાયદાના જાહેરનામાનો ભંગ કરે ત્યારે સામાન્ય જનતાને શું સંદેશો આપે. આ અંગે ફરિયાદી આશાબેન દુબે સ્પેલ હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા, પીએસઆઈ ઝાલા, હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિહ, કોન્સ્ટેબલ ગોપાલ સિંહ અને રઘુવીરસિંહ સામે એડવોકેટ અયાઝશેખ મારફતે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ભત્રીજા સંજય વિજય કુમાર દુબેને ગત ૯મી સપ્ટેમ્બરના રોજ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં અદાલત સમક્ષ રજુ થઈ ૨૫ હજારના જામીન પર મુક્ત કરેલ. જ્યારે બીજા ગુનાની જામીન અરજી પેન્ડીંગ હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી ભત્રીજા સંજયને લઈ આવેલ જેનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતો. પોલીસે તા. ૧૦મી સપ્ટેમ્બરે દોરડે બાંધી સંજયને માર મારી ચાંદલોડિયા વિસ્તારમાં કુલ ૯ પોલીસની ગાડી સાથે વરઘોડો કાઢ્યો હતો. જાહેર રોડ શો કરવાને લીધે ૫૦૦-૬૦૦ માણસોનું ટોળુ ભેગુ થયું જેમાં લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા અને સોશીયલ ડિસ્ટનસીંગનો ભંગ થયો હતો. આરોપીના વકીલ અયાઝ શેખ મારફતે કરેલ અરજીમાં પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા સહિત પાંચ જણા સામે આઈપીસીની કલમ-૨૧ મુજબ કોઈપણ રાજ્ય સેવક વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે ન્યાયીક કાર્યવાહીમાં ભ્રષ્ટ પૂર્વક કાયદાથી વિપરીત રીપોર્ટ કરે અને અટકાયત કરવા બદલ આઈપીસીની કલમ-૧૬૬, ૧૬૬(એ), ૨૧૭,૨૧૯,૨૨૦ અને એપેડેમીક કાયદાની કલમ-૩નો ભંગ કરવા અંગે અમદાવાદ ગ્રામ્યમાં ફરિયાદ નોંધાવી છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/