પ્રાચીન ઇમારતો હવે બનશે વિશ્વ પ્રવાસનનું આકર્ષણ કેન્દ્ર , સરકાર ૪પ લાખથી ૧૦ કરોડની સહાય આપશે
પ્રાચીન ઇમારતો હવે બનશે વિશ્વ પ્રવાસનનું આકર્ષણ કેન્દ્ર , સરકાર ૪પ લાખથી ૧૦ કરોડની સહાય આપશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને વિશ્વ પ્રવાસન નકશા ઉપર વધુ દમદાર રીતે ચમકતું કરવા રાજ્યની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત-ઇમારતો સ્થળોને હેરિટેજ ટુરિઝમ ડેસ્ટીનેશન તરીકે પ્રોત્સાહિત કરતી હેરિટેજ ટુરિઝમ પોલિસી-ર૦ર૦-રપની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત રણ, દરિયો, પર્વતીય સ્થાનો સાથે પ્રાચીન ઇમારતો, ધર્મસ્થાનકો, ડાયનાસૌર પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસન વૈવિધ્યથી ભરપૂર પ્રદેશ છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ હવે આમાં એક વધુ આકર્ષણ હેરિટેજ ટુરિઝમ દ્વારા ઊભું કરવાની અભિનવ પહેલ આ હેરિટેજ ટુરિઝમ પોલિસીની જાહેરાતથી કરી છે. ખૂશ્બુ ગુજરાત કીના મંત્ર સાથે ગુજરાતના પ્રવાસન વૈવિધ્યને વર્લ્ડ ટુરિઝમ મેપ પર મૂકવાની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા છે. મુખ્યમંત્રીએ આ નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી-ર૦ર૦-રપમાં રાજ્યના નાના ગામો-નગરોમાં સુષુપ્ત અવસ્થામાં અત્યાર સુધી રહેલી પ્રાચિન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરૂખા, મિનારા, કિલ્લાઓ સહિતના સ્થળો હેરિટેજ પ્લેસીસને વિશ્વના પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખૂલ્લા મુકવાનો પ્રેરક અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ નાના ગામો-નગરોમાં વર્ષોથી વણવપરાયેલા રાજમહેલો, કિલ્લાઓ, પ્રાચીન સંસ્કૃતિની વિરાસત જાળવતી ઇમારતોની મહત્તા ફરી ઊજાગર થાય, લોકો તેનો ઇતિહાસ જાણી શકે સાથોસાથ આવા સ્થાનોની યોગ્ય માવજત-જાળવણી થાય તે હેતુસર આ હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં અનેક પ્રોત્સાહનો આપવાનો પણ ર્નિણય કર્યો છે. વિજય રૂપાણીએ પ્રવાસન-ટુરિઝમ સેકટરને તથા હોટલ ઇન્ડસ્ટ્રીને નવું બળ મળે અને નાના ગામો-નગરોમાં જગ્યાના અભાવે અન્ય સ્થળે હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ શરૂ ન થઇ શકે તો આવી ઐતિહાસિક વિરાસત પ્રોપર્ટીમાં તે શરૂ કરી સ્થાનિક સ્તરે રોજગાર સર્જનને પણ વ્યાપક બનાવવાની નેમ આ પોલિસીમાં રાખેલી છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ હેરિટેજ ટુરિઝમ પોલિસી ર૦ર૦-રપને પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સહિતના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતીમાં આખરી ઓપ આપ્યો હતો. તેમણે હેરિટેજ પ્રોપર્ટીઝના મૂળ તત્વ અને સત્વને જાળવીને પ્રવાસન આકર્ષણ ઊભા કરવાની પ્રતિબદ્ધતા સાથે આ પોલિસીમાં સ્પષ્ટપણે સૂચવ્યું છે કે તા. ૧ જાન્યુઆરી-૧૯પ૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યૂઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ કે હેરિટેજ રેસ્ટોરન્ટ બનાવી શકાશે. એટલું જ નહિ, આવી હેરિટેજ હોટલ, મ્યૂઝિયમ, બેન્કવેટ હોલ કે રેસ્ટોરન્ટનું નિર્માણ કરતી વખતે હેરિટેજ પ્લેસના ઐતિહાસિક વિરાસતના મૂળ માળખા-સ્ટ્રકચર સાથે કોઇ છેડછાડ કરી શકાશે નહિ. મુખ્યમંત્રીએ આઝાદી પછી વિલીનીકરણ થયેલા અનેક નાના-મોટા રજવાડાઓની સમૃદ્ધિ, તેમના મહેલોના મ્યૂઝિયમમાં રહેલી કિમતી ચીજવસ્તુઓ સોગાદ, પોષાક-પહેરવેશ, શસ્ત્રો, ચલણી સિક્કા જેવી પ્રાચીન ધરોહરને વિશ્વની વર્તમાન અને ભાવિ પેઢી નિહાળી-માણી શકે તે માટે હેરિટેજ મ્યૂઝિયમનો કોન્સેપ્ટ હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં આમેજ કર્યો છે. ગુજરાતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશના દેશના પ્રવાસન પ્રેમીઓ પર્યટન-સહેલગાહ માટે આવતા હોય છે. મુખ્યમંત્રીએ હવે, આ હેરિટેજ ટુરિઝમના કન્સેપ્ટથી આવા પ્રવાસીઓને હેરિટેજ પ્લેસીસની મૂલાકાત-પ્રવાસ માટે આકર્ષીને વિદેશી હુંડિયામણ મેળવવાનો, સ્થાનિક રોજગારીનો હોલિસ્ટીક ટુરિઝમ ડેવલપમેન્ટ એપ્રોચ આ પોલિસીમાં સુનિશ્ચિત કર્યો છે. મુખ્યમંત્રીએ હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં જે મહત્વપૂર્ણ બાબતો આવરી છે તેમાં, હેરીટેજ ટુરિઝમ પોલીસી અંતર્ગત નવી શરૂ કરવામાં આવેલ હેરીટેજ હોટલ, હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટ તથા હયાત હોટલ અને હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટના રીનોવેશન અને રીપેરીંગ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. તદઅનુસાર, હોટલ માટે ૨૫ કરોડ રૂપિયા સુધીનું રોકાણ હશે તો ૨૦ ટકા સબસિડી એટલે કે મહત્તમ પ કરોડ રૂપિયા સુધીની સહાય અને ૨૫ કરોડ રૂપિયાથી વધારેના રોકાણ માટે મહત્તમ ૧૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય સરકાર આપશે. ન્યુ હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવેટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટ તથા તેના રીનોવેશન, રીસ્ટોરેશનમાં ૩ કરોડ રૂપિયા સુધીનું રોકાણ હશે તો ૧૫ ટકા લેખે ૪૫ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ૩ કરોડથી વધારે રોકાણ પર ૧૫ લેખે ૧ કરોડ રૂપિયાની સહાય આપવામાં સરકાર આપશે. હેરિટેજ ટુરિઝમ પોલિસીના સમયગાળા દરમ્યાન મંજૂર અને વિતરણ થયેલી લોન ઉપર પાંચ વર્ષ માટે ૭ ટકા વ્યાજ સબસિડી પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/