આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

SC/ST દરેક પ્રકારનું અપમાન ગુનો ના ગણી શકાય , સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

SC/ST દરેક પ્રકારનું અપમાન ગુનો ના ગણી શકાય , સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે દલિત કે આદિવાસી સમુદાયના વ્યક્તિનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બને છે તેમ ના કહી શકાય. કોર્ટે ગુરુવારે આપેલા પોતાના એક ચુકાદામાં જણાવ્યું હતું કે, જો એસસી-એસટી વ્યક્તિનું જાણીજોઈને તેની જાતિના આધારે અપમાન કરાયું હોય તો તે ચોક્કસ ગુનો બને છે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવની આગેવાનીવાળી ત્રણ જજોની બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે દલિત કે આદિવાસી વ્યક્તિનું અપમાન જો જાણીજોઈને ના કરવામાં આવ્યું હોય તો એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો ના ગણી શકાય. કોર્ટે જણાવ્યું હતું કે અપમાન કે ત્રાસ વ્યક્તિની જાતિના આધારે કરાયું હોય તો જ તે ગુનો ગણાય. ફરિયાદી દલિત કે આદિવાસી છે માત્ર તેટલાથી જ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એટ્રોસિટી એક્ટનો હેતુ દલિત કે આદિવાસી સમુદાયના વ્યક્તિનું અપમાન, સતામણી કે તેને ત્રાસ આપનારાને સજા કરવાનો છે. કોઈ ચોક્કસ સમુદાયના વ્યક્તિને ઉચ્ચ વર્ગ દ્વારા માત્ર તેની જાતિને કારણે કરાતા અપમાનથી બચાવવા માટે આ કાયદો છે. હિતેશ વર્મા નામના એક અરજકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરતા કોર્ટે આ જજમેન્ટ આપ્યું હતું. અરજકર્તા પર દલિત મહિલાના ઘરમાં ઘૂસી તેને ગાળો બોલવાનો આરોપ હતો. કોર્ટે નોંધ્યું હતું કે અરજકર્તા સામેના આરોપ એટ્રોસિટી એક્ટના પાયાના હેતુને સુસંગત નથી. કોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના ઘરની ચાર દીવાલોમાં માત્ર બે વ્યક્તિ વચ્ચે બની છે. તેને જોનારું કે સાંભળનારું કોઈ હોય નહીં ત્યારે અરજકર્તા સામે મૂકાયેલા આરોપ ટકવાને પાત્ર નથી. એટ્રોસિટીને બદલે તેમની સામે બીજા ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button