આરોગ્ય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 143.83 કરોડને પાર 

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 143.83 કરોડને પાર

છેલ્લા ચોવીસ કલાકમાં 63 લાખ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 98.38%
છેલ્લા 24 કલાકમાં 13,154 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (82,402)
સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.76%) 46 દિવસથી 1% કરતા ઓછો છેલ્લા 24 કલાકમાં 63,91,282 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 143.83 કરોડ (1,43,83,22,742)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,53,47,226 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ 1,03,87,375
બીજો ડોઝ 97,01,876
 

FLWs

પ્રથમ ડોઝ 1,83,85,386
બીજો ડોઝ 1,68,75,942
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ પ્રથમ ડોઝ 49,76,01,405
બીજો ડોઝ 32,67,56,163
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ પ્રથમ ડોઝ 19,40,91,039
બીજો ડોઝ 14,90,18,597
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી પ્રથમ ડોઝ 12,11,54,096
બીજો ડોઝ 9,43,50,863
કુલ 1,43,83,22,742

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,42,58,778 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 7,486 દર્દીઓ સાજા થયા છે.આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.38થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button