જીવનશૈલી

હવે ખાનગી વાહનોને નહી ચૂકવવો પડે કોઇ ટોલ પર ટેક્સ !

સરકારે ખાનગી વાહનોના ચાલકોને મોટી રાહત આપવાનો ર્નિણય કર્યો છે. મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં ખાનગી વાહનો માટે ટોલ ટેક્સ માફ કરવાનો ર્નિણય લીધો છે અને હવે માત્ર મધ્યપ્રદેશમાં કોમર્શિયલ વાહનો પર જ વસૂલવામાં આવશે. આ ર્નિણય બાદ હવે ખાનગી વાહન ચાલકો ટોલ ભર્યા વગર બૂથ પરથી આગળ વધી શકશે. રાજ્ય સરકારે ટેલ ટેક્સ સંબંધિત નીતિમાં ફેરફાર કર્યા બાદ આ ર્નિણય લીધો છે. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સરકારે આ લાભ જનતાને આપ્યો છે.
એવા તમામ વાહનો કે જેનો કોમર્શિયલ વાહનો તરીકે ઉપયોગ થતો નથી તે ટોલ ટેક્સ હેઠળ માન્ય છે. સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને તાજેતરમાં આ નીતિમાં ફેરફાર કર્યો છે અને ઓપરેટ એન્ડ ટ્રાન્સફર હેઠળ બનેલા તમામ રસ્તાઓ હવે ટોલ લાગશે નહીં. બિલ્ડ ઓપરેટ અને ટ્રાન્સપોર્ટ પોલિસી હેઠળ એજન્સીઓ રોડ બનાવે છે અને તેના માટે ટોલ વસૂલ કરે છે. આ સિવાય રાજ્ય સરકાર આ એજન્સીઓને રસ્તાના બાંધકામની રકમ સરળ હપ્તામાં ચૂકવે છે. સરકાર આ બે પ્રકારના રોડ પર ખાનગી વાહન ચાલકો પાસેથી ટેક્સ વસૂલશે નહીં.
આ નીતિમાં ફેરફાર કરતા પહેલા મધ્યપ્રદેશ સરકારે પીડબ્લ્યુડી એટલે કે જાહેર બાંધકામ વિભાગ દ્વારા રાજ્યના ૨૦૦ રસ્તાઓનો સર્વે કર્યો હતો. સર્વેમાં બહાર આવ્યું છે કે કુલ ટોલ ટેક્સમાંથી ૮૦ ટકા માત્ર કોમર્શિયલ વાહનોમાંથી આવે છે, જેમાં ખાનગી વાહનોનો ફાળો માત્ર ૨૦ ટકા છે. આ રકમ અને તેને માફ કરવાના લાભને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ર્નિણય લીધો છે. આ ર્નિણય પહેલા પીડબલ્યુડીએ એક દરખાસ્ત તૈયાર કરી હતી જેમાં ખાનગી વાહનોનો ટોલ ટેક્સ માફ કરવાની સંપૂર્ણ માહિતી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button