એર ઈન્ડિયા સહિત તમામ એરલાઈન્સે ઈકોનોમી ટિકિટના દરમાં ૪૦ થી ૫૦%નો વધારો કર્યો

હવે દેશમાં હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ ગઈ છે. એર ઈન્ડિયાની જે ટિકિટ દિલ્હી મુંબઈ વચ્ચે ૨૫૦૦ રૂપિયામાં મળતી હતી તે હવે ૪૦૦૦ રૂપિયામાં મળી રહી છે. ઈન્ડિગોમાં મુસાફરી કરવા માટે આ જ ટિકિટની કિંમત ૬૦૦૦ રૂપિયા છે. ટિકિટની કિંમત માટે બે કારણો આપવામાં આવી રહ્યા છે. પહેલું કારણ એ છે કે એટીએફ ૨૬ ટકા મોંઘું થયું છે. બીજું કારણ ૮૦ થી ૯૦% સીટોનું વેચાણ છે.
વર્ષ ૨૦૨૨ની શરૂઆતથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ દર ૧૫ દિવસે વધી રહ્યું છે. હવે પાંચમી વખત ૩.૩૦ ટકા વધ્યા બાદ આ વર્ષે એટીએફમાં ૨૬ ટકાનો વધારો થયો છે.
એક ટોચની એરલાઈને નામ ન આપવાની શરતે જણાવ્યું કે કોરોના સંકટના અંત પછી હવે મુસાફરો હવાઈ મુસાફરીમાં ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે. આવી સ્થિતિમાં એરલાઇન ભાડાની ગતિશીલ પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે. એટલે કે સીટો ઝડપથી વેચાઈ રહી છે. જેના કારણે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ઇંધણના ભાવમાં વધારો એ ભાડામાં વધારાનું એક નાનું પરિબળ છે, અને ઝડપથી બેઠકો ભરવી એ ઘણું મોટું પરિબળ છે.એરલાઈન્સનું કહેવું છે કે, જાે આપણે કિંમત વધારીએ અને પ્લેન ખાલી થઈ જાય તો તેનો કોઈ ફાયદો નથી, તેથી મુસાફરોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવામાં આવે છે.