પંજાબ કેવી રીતે ૩ લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયું ઃ ભગવંત માન સરકાર તપાસ કરશે

હવે રાજ્ય સરકાર તપાસ કરવા જઈ રહી છે કે પંજાબ પર ૩ લાખ કરોડ રૂપિયાની લોન કેવી રીતે આવી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પંજાબ સરકાર અગાઉની સરકારોના ખર્ચની તપાસ કરશે જેના કારણે વર્તમાન સરકાર પર ૩ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તેમણે કહ્યું, “આ પૈસા સામાન્ય જનતાના છે. અમે જાેઈશું કે તે ક્યાં ખર્ચવામાં આવ્યો છે.” તેમણે કહ્યું કે આપ સરકાર તેની તપાસ કરશે. આ પૈસા ક્યાં ખર્ચાયા? અગાઉની સરકારોએ આ દેવું માફ કર્યું હતું. આ લોનનો ઉપયોગ ક્યાં થયો તેની તપાસ કરીને વસૂલ કરવામાં આવશે. આ લોકોના પૈસા છે.
પંજાબના સીએમની આ જાહેરાતથી રાજ્યમાં દાયકાઓ સુધી સત્તામાં રહેલા કોંગ્રેસ અને અકાલીની મુશ્કેલીઓ વધી ગઈ છે. પંજાબમાં છેલ્લા ૭૦ વર્ષથી કોંગ્રેસ અને અકાલી દળની આગેવાની હેઠળની સરકારો શાસન કરે છે.
ભગવંત માને કહ્યું, “બધા કહે છે કે પંજાબ પર ૩ લાખ કરોડનું દેવું છે. તમે કેવી રીતે પૂરી કરશો. છેલ્લા ઘણા સમયથી પંજાબમાં ન તો કોઈ હોસ્પિટલ કે કોઈ સરકારી શાળા-કોલેજ બનાવવામાં આવી નથી. કોઈ નવી સરકારી યુનિવર્સિટી પણ નથી. અગાઉ બનાવેલા પણ ખોટમાં ચાલી રહ્યા છે. રસ્તાઓ પણ ખાનગી કંપનીઓએ બનાવ્યા છે. તો પછી લોન ક્યાં ગઈ?”