Uncategorized

ફાયર એનઓસી ન હોવાથી ગાંધીનગર મેયરની સોસાયટીનું વીજ કનેકશન કપાયું

ગાંધીનગર કોર્પોરેશનના ફાયર વિભાગે મેયરની સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. મેયરની શ્યામ સુકન સોસાયટીમાં જ ફાયર એનઓસી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. નોટીસ ફટકારવામાં આવી છતાં સોસાયટી દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી ન હતી. જેને લીધે સોસાયટીનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું.

આ વિશે મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું છે કે આજે મારા ઘરમાં પણ લાઈટ નથી. એનઓસી ના હોવાથી અમારી સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. કાયદો બધા માટે સરખો છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Check Also
Close
Back to top button