આરોગ્યગુજરાતદેશ દુનિયા

રાજ્યમાં કુલ ૫૧૭ કોરોના પોઝીટીવ કેસ, ૩૩નાં મોત , ગુજરાતમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૩૦૭૯ પર પહોંચ્યો

રાજ્યમાં કુલ ૫૧૭ કોરોના પોઝીટીવ કેસ, ૩૩નાં મોત , ગુજરાતમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૩૦૭૯ પર પહોંચ્યો

કોરોના પોઝીટીવના રાજ્યમાં નવા ૫૧૭ દર્દીઓ નોંધાતા અત્યાર સુધીમાં કોરનાથી સંક્રમિતોનો કુલ આંકડો ૨૩ હજારને પાર થઈ ૨૩૦૭૯ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૬ સહિત રાજ્યમાં ૩૩ વ્યક્તિઓના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૧૪૪૯ થયો છે. અમદાવાદમાં આજે ૩૪૪ નવા કેસ સામે કુલ સંક્રમિતનો આંકડો ૧૬ હજારને પાર થઈ ૧૬૩૦૬ થયો છે. રાજ્યમાં આજે ૫૪૮૬ ટેસ્ટ થયા અને ૬૧ વ્યક્તિઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં આજે ૧૫૮૯૧ લોકો ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં આજે વિતેલા ચોવીસ કલાકમાં એક દિવસના સૌથી વધારે ૫૧૭ નવા કોવિડ-૧૯ પોઝીટીવ કેસ નોંધાતા ગત ૧૧મી જુને આવેલ સૌથી વધારે ૫૧૭ કેસનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે કોરોના સંક્રમિતનો આંકડો ૨૩૦૭૯ પર પહોંચ્યો છે. રાજ્યમાં ૩૩ દર્દીઓના કોરનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં ૨૬, સુરતમાં ૩, અમરેલીમાં ૨, ભાવનગર અને પાટણ ખાતે ૧-૧ વ્યક્તિઓના મૃત્યુ નિપજતા મોતનો કુલ આંકડો ૧૪૪૯ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે કોરના સંક્રમિતોનો આંકડો ૧૬ હજારને પાર થઈ ગયો અને ૧૬૩૦૬ થયો. ગત ૧૬મીએ કોવિડ-૧૯ના ૮ હજાર કેસ હતા જે ૨૮ દિવસમાં બમણા થયા. અમદાવાદમાં જૂન મહિનામાં ૯ વખત અને ગત મહિનામાં ૭ વખત ૩૦૦ પ્લસ દર્દીઓ રોજના વધ્યા હતા. અમદાવાદમાં આજે ૩૪૪ના નવા કેસ અને ૨૬ મૃત્યુ સાથે મૃત્યુઆંક ૧૧૬૫ પર પહોંચ્યો હતો. જ્યારે સાત વ્યક્તિઓને ડિસ્ચાર્જ આજે કરતા કુલ ડિસ્ચાર્જ ૧૧૪૦૦ થયો હતો. વડોદરામાં આજે ૪૦ વધુ પોઝીટીવ દર્દી આવતા ૧૫૧૧ કુલ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે સુરતમાં આજે ૫૯ નવા પોઝીટીવ દર્દી સાથે કુલ સંક્રમિતોનો આંકડો ૨૫૦૩ અને વધુ ૩ મૃત્યુ સાથે રાજ્યમાં ૯૭ મોત થયા છે. જ્યારે ગાંધીનગરમાં આજે નવ દર્દી ઉમેરાતા ૪૫૯ દર્દી થયા હતા. રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભાવનગર ૭, મહેસાણા ૬, અરવલ્લી, પંચમહાલ અને નર્મદામાં ૫, કચ્છ અને ભરૂચમાં ૪-૪, રાજકોટ, પાટણ, જામનગર અને અમરેલીમાં ૩, બનાસકાંઠા અને ખેડામાં ૨ તેમજ મહીસાગર, આણંદ, બોટાદ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જુનાગઢ ૧ અને અન્ય રાજ્યમાં ૬ વ્યક્તિઓ સંક્રમિત થયા હતા. રાજ્યમાં આજે કોરોનાના ૫૪૮૬ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટ ૨,૮૩,૬૨૩ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની સ્થિતિએ કુલ ૫૭૩૯ એક્ટીવ કેસ છે. જેમાં ૬૧ વેન્ટીલેટર પર અને ૫૬૭૮ સ્ટેબલ છે. સાથે ૩૯૦ દર્દી સાજા થઈને ઘરે ગયા. કુલ ૧૫૮૯૧ દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઈને ઘરે ગયા છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button