આરોગ્ય

માટલાનું પાણી પીવુ પુરુષો માટે છે ફાયદાકારક, જાણો ગરમીમાં મળતા તમામ ફાયદાઓ વિશે

આજે કોઈ ઘર એવું નહીં હોય કે ત્યાં ફ્રિજ ન હોય. પણ જૂના સમયની વાત કરીએ તો આપણે માટલાનું પાણી પીતા હતા. ગમે તેટલો ધોમધખતો તડકો હોય પરંતુ તેવામાં માટલાનું પાણી પીએ તો એકદમ ઠંડક મળે છે. ભારતના ગામડામાં તો આજે પણ માટલાનું પાણી પીવાય છે. જો કે શહેરના કેટલાંક ઘરોમાં પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થઇ જશે. શું તમે જાણો છો કે માટલાનું પાણી પીવાથી પુરુષોના સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. આ ઉપરાંત અન્ય ફાયદા પણ થાય છે. ચાલો તમને જણાવીએ માટલાનું પાણી પીવાના તમામ ફાયદા વિશે…

માટલાનું પાણી પીવાના ફાયદા

માટલાનું પાણી પીવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે જેમ કે…

1. રેસ્પિરેટરી ટ્રેક્ટની સમસ્યાથી રાહત

કોવિડ -19 આપણા શ્વસન માર્ગને પ્રતિકૂળ અસર કરી રહી છે. રેફ્રિજરેટરનું પાણી આ સમસ્યામાં વધુ વધારો કરી શકે છે. પરંતુ માટલાનું પાણી પીવાથી કફ, ગળામાં દુખાવો, ગળામાં ખરાશ અને ગ્રંથિનો સોજો જેવી સમસ્યાઓથી બચી શકાય છે. તેથી, ચેપમાંથી સ્વસ્થ થયા પછી, માટલાનું પાણી પીવો.

2. માટલાનું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે, તે પુરુષો માટે પણ ફાયદાકારક

ઘણા સંશોધનોમાં એવું જોવા મળ્યું છે કે મોટાભાગની પ્લાસ્ટિકની બોટલોમાં બીપીએ કેમિકલ હોય છે, જે શરીરમાં હોર્મોન અસંતુલનનું કારણ બને છે તે સ્થૂળતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. તેનાથી વિપરીત, માટલાનું પાણી પીવાથી તમારા ચયાપચયમાં વધારો થાય છે, જે તમારા શરીરને ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તે જ સમયે, તે પુરુષોના આરોગ્ય પર પણ સકારાત્મક અસર કરે છે, કારણ કે ફ્રીજની પ્લાસ્ટિકની બોટલનું પાણી પુરુષોના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પર ખરાબ અસર કરે છે. જો કે, માટલાનું પાણી આ હોર્મોનને સંતુલિત કરવામાં મદદ કરે છે. પુરુષોના જાતીય જીવન માટે ટેસ્ટોસ્ટેરોન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

3. લૂ લાગવાથી માટલાનું પાણીનું રક્ષણ કરે છે

ભારતમાં ઉનાળાની ઋતુમાં સનસ્ટ્રોકનું જોખમ વધારે છે. કારણ કે, કેટલાક વિસ્તારોમાં ખૂબ તડકો અને ગરમી હોય છે. પરંતુ, માટલાનું પાણી પીવાથી તમે તેનાથી બચી શકો છો. માટલાની માટીથી પાણીને આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સ મળે છે, જે શરીરના ગ્લુકોઝનું સ્તર સંતુલિત રાખે છે અને શરીરને અંદરથી ઠંડક પ્રદાન કરે છે.

4. એસિડિટી અને પેટની સમસ્યાઓમાં રાહત

મનુષ્યની પ્રકૃતિ એસિડિક હોય છે અને જમીનની પ્રકૃતિ ક્ષારીય છે. જ્યારે તમે માટલાનું પાણી પીતા હો ત્યારે શરીરમાં પીએચ લેવલ સંતુલિત રહે છે. જેના કારણે તમે એસિડિટી અને પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી દૂર રહી શકો છો.

5. પ્રાકૃતિક પ્યોરિફાયર

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, માટલામાં ચાર કલાકથી વધુ સમય સુધી રાખેલું પાણી સંપૂર્ણ રીતે ફિલ્ટર કરવામાં આવ્યું છે. કારણ કે તે કુદરતી રીતે દૂષિત કણોને શોષી લે છે અને તેને પાણીથી દૂર કરવામાં મદદ કરે છે.

 

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button