સુરતમાં વીમો પકાવવા લલાચાઈને એક વ્યક્તિનો જીવ જ લઇ લેવામાં આવ્યો

સુરતમાં ૧૬ મહિના પહેલા એક પરણીતાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં રૂ.૬૫ લાખનો વીમો પકવવા કુંભારિયાની પરણીતાને ટ્રક નીચે મારી સમગ્ર હત્યાકાંડને અકસ્માતમાં ખપાવવાના ચકચારી કેસમાં પુણા પોલીસે યુપીના અલીગઢથી મુખ્ય કાવતરાખોર સસરા અને નણંદને પકડી પાડયા છે. લાલચ માણસને કેવી રીતે ગુના તરફ લઈ જાય તેની આ ઘટના છે જેમાં વીમો પકાવવા લલાચાઈને એક વ્યક્તિનો જીવ જ લેવામાં આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે પુણા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ કુંભારિયા ગામ સારથી રેસિડન્સીમાં રહેતા અનુજકુમાર સોહન યાદવે પત્ની શાલિનીની ઘાતકી હત્યા કરી દીધી હતી. પતિ અનુજે પત્ની શાલિનીના નામે ૬૦-૬૫ લાખની વીમા પોલિસી લીધી હતી. આ વીમા પોલિસી પકવવા શાલિનીની હત્યા કરી રોડ એક્સિડન્ટમાં ખપાવવાનું કાવતરૂં ઘડી કઢાયું હતુ. હત્યા માટે અનુજે નઇમ ઉર્ફે પપ્પુ ઉસ્માન ઇસ્લામની મદદ લીધી હતી. બંનેએ મળી શાલિનીનું ગળું દબાવી અર્ધબેભાન કરી દીધી હતી. તેઓ અર્ધબેહોશ શાલિનીને ટ્રક નીચે કચડી મારી નાખી હતી.
આ કેસમાં પુણા પોલીસે પતિ અનુજ અને તેના સાથી નઇમની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાન પોલીસ તપાસમાં મૃતકના સસરા સોહનસિંઘ અને નણંદ નીરૂ ઉર્ફે પૂજા યાદવની ભૂમિકા પણ સ્પષ્ટ થઇ હતી. તેઓ દહેજ માટે ત્રાસ ગુજારતા હતા. હત્યાનું સમગ્ર કાવતરૂં તેઓએ જ ઘડયું હતુ. ગુનો નોંધાયા બાદ ૧૬ મહિનાથી સોહનસિંઘ અને નીરૂ યાદવ મૃતકની ૪ વર્ષની દીકરી દિયાને લઇ નાસતા-ફરતા હતા. મૃતકની ૪ વર્ષની દીકરીનો કબજાે નાના-નાનીને સોંપાયો હતો.. દરમિયાન પુણા પોલીસને બાતમી મળી હતી કે, બંને જણા યુપીના મથુરા ખાતે હોટલમાં રોકાયા છે.. રસ્તામાં બંને આરોપી અલીગઢ પાસે હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બંનેને દબોચી લીધા હતા. પોલીસે સોહનસીંગ અને નીરૂ ઉર્ફે પુજા યાદવની ધરપકડ કરી તેઓ પાસેથી માસૂમ દિયાનો કબ્જાે લઇ નાના-નાનીને બાળકી સોંપી દીધી હતી.