ક્રાઇમ

તાપી તાલુકા પંચાયતની ઓફિસમાં પત્નીને સળગાવીને શિક્ષક પતિએ પણ આગચાંપીને આપઘાત કર્યો શિક્ષક પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પોતાના શરીરે કોઈ જ્વલંનશીલ પ્રદાર્થ નાખી આગ ચાંપી

વાલોડ તાલુકાની પંચાયત કચેરીમાં એક ગમખ્વાર ઘટના ઘટી છે. જેમા મનરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા ૪૦ વર્ષના મયુરિકા પટેલને તેમના જ ૪૧ વર્ષના પતિ અમિત પટેલે સળગાવી દીધા હતા. જે બાદ પોતાના શરીર પર પણ આગચંપીને આત્મહત્યા કરી હતી. નોંધનીય છે કે, પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. જેના કારણે તેઓ છેલ્લા ઘણાં સમયથી અલગ રહેતા હતા. આ દંપતીના મોત કચેરીની બાલ્કનીમાં જ થયા હતા. જેના કારણે આખી કચેરીમાં ચકચાર મચી ગઇ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર શિક્ષક પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પોતાના શરીરે કોઈ જ્વલંનશીલ પ્રદાર્થ નાખી આગ ચાંપી પત્નીને પણ આગચાંપી હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમિત પટેલ ઉચ્છલની ગવાણ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. મંગળવારે બપોરે ઓફિસમાં ૩ વાગ્યાની આસપાસ મયુરિકાબેન કચેરીમાં હતા. ત્યારે જ પતિ બપોરે કચેરીમાં પ્રથમ માળે આવેલી મનરેગા ઓફિસમાં ફરજ બજાવતી પત્ની મયુરીકા પાસે આવ્યા હતા. આ દરમિયાન જ્વલનશીલ પદાર્થની બોટલ કાઢી પ્રથમ પત્ની પર છાંટયા બાદ પોતાના પર પણ જ્વલનશીલ પદાર્થ નાખ્યું હતું. મયુરીકાએ ભાગવાનો પ્રયાસ કરતા પતિએ દોડીને આગ લગાવી દીધી હતી. મયુરીકાએ ભાગવાનો પ્રયાસ કરતા તે કચેરીની બાલ્કનીમાં આવી ગયા હતા. તેની પાછળ પતિ પણ સળગતી હાલતમાં ભાગતો બહાર આવ્યો હતો અને બંનેના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.

નોંધનીય છે કે, મયુરિકા અને અમિતના લગ્ન ૨૦૦૪માં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર મનન છે. જેણે હાલમાં જ ધોરણ ૧૨ની પરીક્ષા આપી છે. આજે બનેલી આ ઘટનાને કારણે મનને માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતા પુત્ર મનન વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે ઘટના સ્થળ પર આવ્યો હતો. પરંતુ માતા પિતાની લાશ જાેઈને તે સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો. જેથી તેને તાત્કાલિક વાલોડ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો હતો.

તાલુકા પંચાયત કચેરીના ઉપરના મળે આગ લાગી હોવાની જાણ થતા કચેરીના કર્મચારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. તેઓએ અગનજવાળામાં લપેટાયેલ મયુરિકા પટેલને બચાવવા પોતાની જાનની પરવાહ કર્યા વિના અગ્નિશામક બોટલો લઇ દોડી આવ્યાં હતાં. મયુરિકાને બચાવવા અગ્નિ શામકથી આગ ઓલવવાની કોશિશ કરી હતી. ત્યારે અચાનક અમિત પણ સળગતી હાલતમાં કર્મચારીઓ સામે આવતા બચાવ કરવા મુશ્કેલ બન્યો હતા. હિંમત નહિ હારીને છેલ્લે સુધી પ્રયાસ કર્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button