Uncategorized

ગઈ કાલે કાશ્મીરી પંડિતની હત્યા તો આજે એસપીઓને ગોળી મારી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહી ચાલુ છે. આજે શુક્રવારે પુલવામામાં એસપીઓ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહી ચાલુ છે. શુક્રવારે પુલવામામાં એસપીઓ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એસપીઓ રિયાઝ થોકર પુલવામામાં તૈનાત હતા. આતંકવાદીઓએ તેના પર ગડુરામાં હુમલો કર્યો હતો. આ હુમલામાં રિયાઝને ગોળી વાગી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આના એક દિવસ પહેલા જ આતંકવાદીઓએ મહેસૂલ વિભાગમાં તૈનાત રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. તહસીલ ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પછી આતંકીઓ ભાગી ગયા હતા.

બીજી તરફ રાહુલ ભટ્ટના આજે બાંટલાબમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એડીજીપી જમ્મુ મુકેશ સિંહ, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button