ગુજરાત

દશરથ ગામ માં હાઇવે નીચે નાળા માથી ભારદારી વાહનોની અવરજવર થી લોકો પરેશાન, ટ્રાફિક સમસ્યા સર્જાય કરે છે

દશરથ ગામ માં હાઇવે નીચે નાળા માથી ભારદારી વાહનોની અવરજવર થી લોકો પરેશાન, ટ્રાફિક સમસ્યા સર્જાય કરે છે

નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલ દશરથ ગામ માં હાઇવે ક્રોસ કરવા માટે એક નાળુ બનાવમાં આવેલ છે, આ બ્રિજ નીચે નાળા માંથી ગ્રામજનો અને આજુબાજુના લોકો પોતાના નાના વાહનો લઈને અવરજવર કરતા હોય છે, દશરથ ગામ ની આજુબાજુમાં કેટલાક ઉદ્યોગો અને કારખાનાઓ અને વેરહાઉસો આવેલા છે, જેના પગલે આમાંથી નીકળતા કોમર્શિયલ ભારદારી વાહનો આ હાઇવે બ્રિજ નીચેના નાળા નો ઉપયોગ કરીને અવરજવર કરતા હોય છે, જેના લીધે ગ્રામજનો અને સ્થાનિકો ને અકસ્માત નો ભય રહે છે, અને સાથે સાથે ટ્રાફિક જામ પણ સર્જાય છે, અવારનવાર સામાજિક કાર્યકર્તા હિતેન મકવાણા ની રજુઆત પગલે એક વખત હાઉવે ઓર્થોરિટી દ્વારા બ્રિજ ની બંને બાજુ નાળા નીચે લોખંડ ની એંગલો લગાવી દીધી હતી, જેથી ભારદારી વાહનો ની અવરજવર માં અંકુશ લાવી શકાય, પરંતુ કેટલાક માથાભારે તત્વો દ્વારા આ એંગલ ને તોડી નાખવામાં આવી છે, જેથી ભારદારી વાહનો ની અવરજવર પાછી ચાલુ થઈ ગઈ છે, અનેક વખત ભારદારી વાહનો બ્રિજ નીચે નાળા ના ઉપર ના ભાગે અડી જતા કેટલાય વાહનો બ્રિજ નીચે ફસાયા છે જેથી ટ્રાફિક જામ થતા અનેક રાહદારીઓ અટવાયા કરે છે,

વધુમાં હાઇવે ઓર્થોરિટી દ્વારા પદમલા જેવા મોટા ગામ માં પણ આવુજ નાનું નાળુ બનાવ્યું છે જેથી ત્યાં પણ ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે,

દશરથ ગામ હાઇવે ની પાસેજ આવેલું છે અને તેની આજુ બાજુના ઉદ્યોગો, અને કારખાના અને ગોડાઉન ના ટ્રાન્સપોર્ટરો દ્વારા ભારદારી વાહનો દશરથ બ્રિજ ના નાના નાળા માંથી નીકળતા નાળુ ઉપર ના ભાગે ઘસાઈ ગયું છે, અને સ્થાનિકો ના કહેવા મુજબ સાંજે 5 વાગ્યા ની આસપાસ સ્કૂલ ના બાળકો અને કંપની ના કર્મચારીઓ ની અવરજવર નાળા માંથી વધારે સંખ્યા માં હોય છે, જેથી ભારદારી વાહન આવે તો અકસ્માત નો ભય રહે છે,

આજ રોજ એક ભારદારી વાહન બ્રિજ નીચે નાળા માં ફસાતા ટ્રાફિક જામ થયો હતો

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button