૮ બેઠકોની પેટાચૂંટણી માટે ૮ સિનિયર નેતાઓને જવાબદારી , ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસની ફૂલપ્રુફ તૈયારી
૮ બેઠકોની પેટાચૂંટણી માટે ૮ સિનિયર નેતાઓને જવાબદારી , ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસની ફૂલપ્રુફ તૈયારી
રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ, હવે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકો પર પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. બંને પક્ષો આ બેઠકો જીતવા માટે એડીચોટીનું જાર લગાવવા તૈયાર ગયા છે. ત્યારે કોંગ્રેસ પણ ફુલપ્રુફ પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે. વિધાનસભા પેટાચૂંટણીની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતાઓના સિરે મૂકવામાં આવી છે. પેટા ચૂંટણીની બેઠકો દીઠ સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલને જવાબદારી સોંપાઈ છે. તો તુષાર ચૌધરી, ગૌરવ પંડયા, પૂંજાભાઈ વંશને પણ એક એક બેઠકની જવાબદારી અપાઈ છે. પરેશ ધાનાણી પાસે પણ એક બેઠકની જવાબદારી રહેશે. સિનિયર નેતાની સેન્સ લેવાથી લઈ ચૂંટણી લડાવવા સુધીની કામગીરીમાં મહત્વની ભૂમિકા રહેશે. એક સિનિયર નેતાને એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
• ગઢડા શક્તિસિહ ગોહિલ
• લિંમડી અર્જુન મોઢવાડિયા
• ડાંગ તુષાર ચૌધરી
• કપરાડા ગૌરવ પંડયા
• ધારી પુંજાભાઇ વંશ
• કરજણ સિધ્ધાર્થ પટેલ
• મોરબી પરેશ ધાનાણી
• અબડાસા શક્તિસિહ ગોહિલ
તો બીજી તરફ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને દિલ્હીનું તેડું આવ્યું છે. આગામી ૨ દિવસમાં અમિત ચાવડા દિલ્હી જશે. તેઓ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે કોંગ્રેસના નવા સંગઠન માળખા અંગે ચર્ચા કરશે. તેમજ ૮ વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ અંગે પણ બેઠક થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું લોકસભા બાદ વિખેરી નાખવામાં આવ્યું છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/