છોટાઉદેપુર જિલ્લા ભાજપાનો મીડિયા વર્કશોપ યોજાયો
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મીડિયાસેલ વિભાગના કન્વીનર પ્રશાંતભાઈ વાળાની સૂચના અનુસાર ૧૨ જાન્યુઆરી પહેલા તમામ જિલ્લામાં મીડિયા વર્કશોપ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા મીડિયા સેલનો વર્કશોપ બોડેલી ખાતે રામકબીર મંદિરમાં સવારે ૧૧ કલાકે યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશમાંથી નવનિયુક્ત મધ્યઝોનના પ્રવક્તા કેયુરભાઈ રોકડીયા,મધ્યઝોન મીડિયા સેલના ઇન્ચાર્જ સંજીવભાઈ પંચોલી,છોટાઉદેપુર જિલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ સહીત જિલ્લા,તાલુકાના અપેક્ષિત કન્વીનર,સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વર્કશોપની શરૂઆત વંદેમાતરમ ગીતના ગાન ઘ્વારા કરવામાં આવી હતી મહાનુભાવોનું ખેસ પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું મધ્યઝોનના મીડિયાસેલના કન્વીનર સંજીવભાઈ પંચોલીએ તમામ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપાની સરકારે અનેક વિકાસલક્ષી કાર્યો કર્યા હોવા છતાં ગત ટર્મમાં જિલ્લા,તાલુકા પંચાયતો ગુમાવવા પાછળ ક્યાંક લોકો સુધી સરકારે કરેલ વિકાસની વાત છેવાડાના લોકો સુધી પહોંચતી નથી અનેકવિધ પ્રજાલક્ષી કાર્યો અને નિર્ણયો લઈને સરકારે પ્રજા હિત માટે તિજોરી ખોલી નાખી છે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીમાં મીડિયાની ભૂમિકા અતિમહત્વની બની રહે છે સરકાર વિકાસના જે કાર્યો વિવિધ વિસ્તારોમાં કરે છે તેને ઉજાગર કરવાનું કામ મીડિયાનું છે મીડિયાનું કામ માત્ર સરકારની નકારાત્મક સમાચાર નહિ પરંતુ ભૂતકાળમાં ન થયેલ કામો સરકાર કરી રહી છે તેને પણ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય છે મધ્યઝોન પ્રવક્તા કેયુરભાઈ રોકડીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિચાર,વાતાવરણ અને વ્યવસ્થાઓથી લડાઈ છે કાર્યકર્તાઓમાં હકારાત્મક વિચાર નહિ તુષ્ટિકરણની રાજનીતિ રમવી.ચૂંટણી લાડવા માટેનું વાતાવરણ સરકારે કરેલ કામો અને યોજનાઓ થકી સકારાત્મક વાતાવરણ ઉભું કરવું જોઈએ આમ છોટાઉદેપુર જિલ્લાનો વર્કશોપમાં મીડિયાસેલના કાર્યકરોને માર્ગદર્શન સૂચનોની આપ-લે કરવામાં આવી હતી છેલ્લે આભારવિધિ જિલ્લા મીડિયાસેલના સહ કન્વીનર મિતેષ પટેલે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મીડિયા કન્વીનર પરિમલ પટેલે કર્યું હતું
શકીલ સમોલ
છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/