વ્યાપાર

ખરીફ પાકની MSP 62% સુધી વધારાઈ

ખરીફ પાકોના માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારવાના મુદ્દે કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર લગાવી દીધી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બેઠક બાદ પત્રકાર પરિષદમાં તેની જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કૃષિ પાકોના માટે લઘુત્તમ ટેકાના ભાવ વધારવામાં આવી રહ્યા છે. આ રીતે જ ભવિષ્યમાં પણ તેમાં વૃધ્ધિ થતી રહેશે.

કેન્દ્ર સરકારે બુધવારે વર્ષ 2021-22ના માટે ખરીફ સિઝનના પાકો પર એમએસપી વધારવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રએ કહ્યુ કે ગત વર્ષની તુલનામાં લઘુત્તમ ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો તલમાં 452 પ્રતિ કિવન્ટલનો કરાયો છે. ત્યારબાદ તુવેર અને અડદ બંને ~300 પ્રતિ કિવન્ટલે વધારો કરાયો છે. કૃષિ મંત્રી તોમરે વધુમાં જણાવ્યુ કે કેન્દ્રએ ખરીફ પાક પર 50 ટકા સુધી એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે છેલ્લા 7 વર્ષમાં ખેડૂતોના હિતમાં નિર્ણયો કરી રહી છે. તેમની સમસ્યાઓના સમાધાન માટે ચર્ચા કરવા માટે સરકારે હંમેશા તૈયાર છે.

કેન્દ્રના આ નિર્ણયથી ધાન્યનો લઘુત્તમ ટેકાનો ભાવ ગત વર્ષની તુલનામાં 72 રૂપિયા વધીને 1940 રૂપિયા પ્રતિ કિવન્ટલ થઈ ગયો છે. ગત વર્ષે આ રકમ 1868 રૂપિયા પ્રતિ કિવન્ટલ હતી. એમએસપી એ રેટ હોય છે કે જે રેટ પર સરકાર ખેડૂતો પાસેથી ખેતઉપજની ખરીદી કરે છે.

કૃષિ મંત્રી તોમરે વધુમાં કહ્યુ નવા કૃષિ કાયદાઓને દેશના તમામ પક્ષો લાવવા માગતા હતા, પરંતુ તેમના હિંમતનો અભાવ હતો. ભારત સરકારે આંદોલનકારી ખેડૂતો સાથે 11 વખત મંત્રણા કરી છે. તેમ છતાં સરકારના એકપણ પ્રસ્તાવનો નક્કર જવાબ કિસાન સંગઠનો કે અન્ય કોઈ પક્ષોએ આજદિન સુધી આપ્યો નથી. જ્યારે પણ ખેડૂતો વાતચીત માટે તૈયાર હોય સરકાર મંત્રણા માટે તૈયાર છે.

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button