ગુજરાત
અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત ..

અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત ..
અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ – 38001 ખાતે 30.12.2021 ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામા આવેલ છે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરીયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો તારીખ 23.12.2021 સુધીમાં ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ – 38001 ને મોકલવાની રહેશે. તારીખ 23.12.2021 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતિવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.