અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતા

અરુણાચલ પ્રદેશના પંગિનમાં ગઇકાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ ૧૨ઃ૦૦ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૩ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન હોય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓ વળી જવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદરની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.
રિક્ટર સ્કેલ પર ૨.૦ થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને આ ભૂકંપ અનુભવાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના ૮,૦૦૦ ધરતીકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. એ જ રીતે, ૨.૦ થી ૨.૯ની તીવ્રતાના ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા ૧૦૦૦ ધરતીકંપ દરરોજ આવે છે, સામાન્ય રીતે આપણે અનુભવતા પણ નથી. એક વર્ષમાં ૪૯,૦૦૦ વખત ૩.૦ થી ૩.૯ ની તીવ્રતાના અત્યંત હળવા કેટેગરીના ધરતીકંપ નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ તેમના દ્વારા ભાગ્યે જ કોઈ નુકસાન થાય છે. ૪.૦ થી ૪.૯ ની તીવ્રતાવાળા હળવા કેટેગરીના ધરતીકંપો રિક્ટર સ્કેલ પર સમગ્ર વિશ્વમાં વર્ષમાં લગભગ ૬,૨૦૦ વખત નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને ઘરની વસ્તુઓને ધ્રુજારીને જાેઈ શકાય છે. જાે કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.